Indore Sonam Raghuwanshi Case : તાજેતરમાં મધ્યપ્રદેશનું દંપતિ કે જે મેઘાલય હનિમુન મનાવવા ગયું હતું ત્યારબાદ પતિની પત્ની દ્વારા હત્યા બાદ આ મામલે સમગ્ર દેશમાં ચકચાર મચાવી દીધી છે. ત્યારે આજે સોનમ રઘુવંશીનો ભાઈ ગોવિંદ રઘુવંશી રાજા રઘુવંશીના ઘરે પહોંચ્યો હતો અને મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, જેઓએ પણ રાજા રઘુવંશીની હત્યા કરાવી છે તેને સજા મળશે.
રાજા રઘુવંશી હત્યાકાંડમાં સોનમ રઘુવંશીના ભાઈ ગોવિંદ રઘુવંશી જ્યારે ઈન્દોર સ્થિત રાજાના ઘરે પહોંચ્યા ત્યારે ત્યાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો, ગોવિંદે મીડિયા સમક્ષ જણાવ્યું કે, જેણે હત્યા કરી, તેને ફાંસીની સજા મળશે. ગોવિંદે દાવો કર્યો હતો કે તેને સોનમના ષડયંત્ર વિશે કોઈ જાણકારી હતી નહિ અને તેણીએ પોતાના ગુનો પણ કબુલ કર્યો ન હતો. આગળ તેણે જણાવ્યું હતું કે, તેણીનું રાજ સાથે અફેર ન હતું, સોનમ રાજને માત્ર રાખડી બાંધતી હતી.
વિપિને ગોવિંદને મીડિયા સમક્ષ લાવીને તેનો પણ પક્ષ સાંભળ્યો, મેઘાલય પોલીસે સોનમ, રાજ કુશવાહા અને ત્રણેય સોપારી કિલર્સ આકાશ રાજપૂત, વિશાલ ઉર્ફે વિક્કી ઠાકુર અને આનંદ કુર્મીને હિરાસતમાં લીધા છે, પરંતુ ગોવિંદની ભૂમિકા પણ હજુ સુધીમાં કોઈ સબુત મળ્યું નથી.
મેઘાલય પોલિસે ઓપરેશન હનીમૂન અંગે ખુલાસો કરતા જણાવ્યું કે, સોનમે 23 મેએ સોહરામાંજ રાજાની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. સોનમે 9 જૂને ગાજીપુરમાં સરેન્ડર કર્યું હતું. પોલીસે 42 સીસીટીવી ફૂટેજ અને સબુત મળ્યા જેના પરથી સોનમ રઘુવંશી પર આરોપ લાગ્યો છે.
રાજાનો પરિવાર અને રઘુવંશી સમાજ હત્યારાઓને ફાંસીની સજા મળે તેવી માંગ કરી રહ્યા છે. વિપિને કહ્યું કે, ગોવિંદનો સ્વભાવ સારો છે. પરંતુ સોનમે સાત પરિવાર બર્બાદ કરી નાખ્યા.