આજે સવારે થાણેના મુમ્બ્રા રેલ્વે સ્ટેશન પર લોકલ ટ્રેનમાંથી 8 મુસાફરો નીચે પડી ગયા. જેમાં 7 પુરુષો, 1 મહિલાનો સમાવેશ થાય છે. Mumbra Railway Mishap માં 5 ના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. 5 ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. તે બધા ટ્રેનના ગેટ પર બેઠા હતા. આ ઘટના સવારે 9:30 વાગ્યે કસારા-CSMT લોકલ ટ્રેનમાં બની હતી. ઓફિસ જતા સમયે સવારે ભારે ભીડને કારણે આ અકસ્માત થયો હતો. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. એક મુસાફરે આપેલી માહિતી મુજબ, મુસાફરો ફૂટબોર્ડ પર મુસાફરી કરી રહ્યા હતા. તેઓ તેમની બેગ એકબીજા સાથે અથડાવાથી અથવા કોઈ અન્ય વસ્તુને કારણે ટ્રેનમાંથી પડી ગયા હોઈ શકે છે.
રેલ્વે વહીવટીતંત્ર અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. Mumbra Railway Mishap ની તપાસ શરૂ કરવામાં આવી છે. આ કેસને કારણે લોકલ ટ્રેન સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. મુમ્બ્રા રેલ્વે અકસ્માત અંગે Central Railway ના CPRO સ્વપ્નિલ ધનરાજ નીલાએ જણાવ્યું હતું કે, “આ અકસ્માત મુમ્બ્રા અને દિવા સ્ટેશનો વચ્ચે ડાઉન/ફાસ્ટ લાઇન પર થયો હતો. કસારાથી આવતી લોકલ ટ્રેન અને CSMT તરફ જતી બીજી ટ્રેનના મુસાફરો ફૂટબોર્ડ પર મુસાફરી કરતી વખતે એકબીજા સાથે અથડાઈ ગયા હતા, જેના કારણે કેટલાક લોકો પડી ગયા હતા.”
આ પણ વાંચો – Sonam Raghuwanshi: મેઘાલયથી ગાઝીપુર કેવી રીતે પહોંચી?
આ પણ વાંચો – Los Angeles Protests: નેશનલ ગાર્ડ તૈનાતી સામે વિરોધ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી Devendra Fadnavis એ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, દિવા અને મુમ્બ્રા સ્ટેશન વચ્ચે લોકલ ટ્રેનમાંથી 8 મુસાફરો પડી ગયા, જેના કારણે કમનસીબે જીવ ગુમાવ્યા, તે ઘટનાથી ખૂબ જ દુઃખ થયું છે. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. આ મુશ્કેલ સમયમાં અમે તેમની સાથે છીએ. ઘાયલ મુસાફરોને તાત્કાલિક શિવાજી હોસ્પિટલ અને થાણે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને તેમની સારવાર ચાલી રહી છે. ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે હું પ્રાર્થના કરું છું. સ્થાનિક વહીવટીતંત્ર તમામ પ્રયાસોનું નજીકથી સંકલન કરી રહ્યું છે. રેલવે વિભાગે ઘટનાનું ચોક્કસ કારણ શોધવા માટે તપાસ શરૂ કરી છે.