Gir Somnath: મહિલા સરપંચ કેમ બન્યા રણચંડી?
ગુજરાત રાજ્યની અંદર પાણીને લઈને સ્થિતિ ખૂબ કથડેલી છે. પતિ પત્ની તેમજ આખો પરિવાર સરકારી કચેરીની બહાર કચેરીના પાણીથી એમના બાળકોને નવડાવી રહ્યા છે અને કપડા ધોઈ રહ્યા છે. એ કોઈ સામાન્ય મહિલા નથી, એ ઉનાના માણેકપુર ગામના સરપંચ ભાવુબેન રાઠોડ છે.
Gir Somnath ના ઉના તાલુકાનું માણેકપુર ગામ દરિયાકાંઠા વિસ્તારનું છેવાળાનું ગામ છે. લોકો વ્યવસાયે માછીમારી સાથે જોડાયેલા છે. આ ગામને રાવલ જૂથ યોજના હેઠળ જોડીને નર્મદાનું પાણી મળી રહે તેવા હેતુસર ટાંકા બનાવીને મીઠા પાણીની પાઈપલાઈન મારફતે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
દરરોજ ગામની વસ્તી પશુધનની સંખ્યા આધારિત 10 લાખ લીટર પાણીની જરૂરિયાત હોય છે. પરંતુ માત્ર 6 થી 7 લાખ લીટર પાણી અપાય છે. તેની સામે ઘટતું પાણી લોકો વેચાતું મેળવીને ટાંકા મારફતે પોતાની જરૂરિયાત પૂરી પાડે છે. તેમાં પણ છેલ્લા 20 દિવસથી ગંભીર પાણીની સમસ્યા ઊભી થતા ગામ લોકો દ્વારા સરપંચના ઘરે પહોંચી દેકારો મચાવતા હોવાના કારણે રહેવું મુશ્કેલ બની ગયુ હતું.
વારંવાર પાણી પુરવઠા જૂથ યોજના હેઠળ આવતી ઉના કચેરીના અધિકારીને ફરિયાદ કરવા છતાં કોઈ પ્રત્યુત્તર નહીં મળતા, મહેલા સરપંચ આખરે પરિવાર સાથે કચેરીના દરવાજે ધામા નાખીને પોતાના પાંચ દિવસથી સ્નાન નહીં કરેલા બાળકોને કચેરીમાં આવતા નળમાંથી પાણી ભરીને ને સ્નાન કરાવ્યું હતું.
આ બાબતે સ્થાનિક અધિકારીએ એવો દાવો કર્યો હતો કે, માણેકપુર ગામે નિયમિત પીવાના પાણીનો જથ્થો અપાય છે અને ગઈ કાલે પાણી વિતરણ કરવામાં આવ્યું હતું. તડ અને ફળ જ્યાં સુધી પાણી ગામમાં નહીં પહોંચે ત્યાં સુધી બાળકો સાથે ભૂખ્યા તરસ્યા બેસી રહેશું એવું મહિલા સરપંચ ભાનુબેન રાઠોડે કહ્યું હતું.
આ પણ વાંચો-Visavadar ચુંટણીના પ્રચાર વચ્ચે Isudan Gadhvi એ ગીરના નેહડામાં ડાયરાની અખંડ મોજ માણી