Surat માં રહેતા વિસાવદરના લોકોના દિલ જીતવા Kirit Patel એ વિસાવદરની અયોધ્યા સાથે સરખામણી કરી?
આ પણ વાંચો- Surat માં મોટું BJP સંમેલન, જયેશ રાદડિયાનો વિરોધીઓ સણસણતો જવાબ
Suratમાં ભાજપના નેતા એવા KIRIT PATELને જીતાડવા માટે સંમેલન યોજવામાં આવ્યું હતું.જેમાં કિરીટ પટેલે ભાષણ આપતા કહ્યું કે અમે જ્યારે ચૂંટણીનું ફોર્મ ભર્યું ત્યારથી દરેક ગામડે ગામડે જઈએ છીએ ત્યારે આ ચૂંટણીમાં દરેક મતદાર ભાઈ બહેને એક મન બનાવ્યું છે.
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. દેશમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું શાસન છે. 2012 થી આજ દિન સુધી વિરુદ્ધમાં પ્રવાહમાં પ્રવાહની ની વિરુદ્ધમાં રહ્યા છે, પરંતુ આ વખતે ભારતીય જનતા પાર્ટીને મત આપી વિસાવદરમાં ધારાસભ્ય બનાવવા છે. એવું દરેક ગામડે ગામડે બધાએ મન બન્યું છે.
2012 થી આજ દિન સુધી ભગવાન રામનો વનવાસ પણ 14 વર્ષે પૂરો થયો. 14 વર્ષે ભગવાન રામ પણ અયોધ્યામાં વનવાસ પૂરો કરીને પાછા આવ્યા, એમ આ સીટનો પણ વનવાસ હવે 14 વર્ષ પૂરો થયો છે. રામ રાજ્યની સ્થાપના તમારા સૌના સાથ અને સહકારથી કરવાની છે.
KIRIT PATELએ પણ કહ્યુંકે મારા મતદાર ભાઈઓને ભરોસો આપું છું કે હું ચૂટાઈશ અઢી વર્ષની અંદર એવું કોઈ કામ નહીં થાય કે જેથી મતદાર ભાઈ બહેનનું માથું નીચું ઝૂકી જાય. એવું કોઈ કામ અમારા દ્વારા કરવામાં નહી આવે. દરેક કામો જે પેન્ડિંગ છે એને યોગ્ય જગ્યાએ રજૂઆત કરી અને સારામાં સારા જે કંઈ પણ કામો ખેતીલક્ષી છે, આ બધા કામો સારામાં માં સારી રીતે થાય એના માટે અમે પ્રયત્ન કરશું.