Dahod: મંત્રી પુત્ર જામીન ઉપર છૂટ્યા, તરત પોલીસે કરી ધરપકડ

Dahod

ગુજરાતના રાજકારણમાં જે સતત એક અઠવાડિયાથી જે ગરમાવો જોવા મળી રહ્યો હતો. એ ગરમાવો ફરી એકવાર જોવા મળી રહ્યો છે. કારણ કે Dahod માં મંત્રી Bachu Khabad ના જે પુત્રોએ MNREGA Scam ની અંદર 70 કરોડથી વધુનું જે કૌભાંડ આચર્યું એને લઈને અનેક સવાલો થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસે આવ્યા, ખાસ કરીને દાહોદના આસપાસના એ વિસ્તારોમાં પ્રવાસમાં હતા. એ દરમિયાન મંત્રી બચુ ખાબડને સ્ટેજ પણ ન અપાયું હતું.

હવે મંત્રી બચુ ખાબડ કે જેની મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થયો છે. બચુ ખાબજના કોભાંડી પુત્ર Kiran Khabad પર પોલીસની વધુ એક મોટી કાર્યવાહી કરી છે. જ્યાં મનરેગા કૌભાંડમાં વધુ એક ફરિયાદ દાખલ થઈ છે. Kiran Khabad વિરુદ્ધ વધુ એક ફરિયાદ દાખલ થઈ છે. જ્યાં ધાનપુરના લાવારિયા ગામમાં મનરેગા યોજનામાં વધુ એક કૌભાંડ સામે આવતા ખડભડાટ મચી ગયો છે. 79 કામો પૈકી 21 કામો કર્યા વગર નાણા મેળવી લીધા હોવાનું કહેવાય રહ્યું છે. જ્યાં જામીન ઉપર છૂટ્યા બાદ તરત જ પોલીસે અટકાયત કરી હોવાના સમાચાર મળી રહ્યા છે. પણ બીજી તરફ એવા પણ સમાચાર મળી રહ્યા છે કે Balwant Khabad ના જામીન મંજૂર થયા છે. બીજી બાજુ જામીન ઉપર છૂટ્યા બાદ પોલીસે તરત જ અટકાયત કરી છે. બંને મંત્રી પુત્રોના જામીન મામલે પોલીસે ઉપલી કોર્ટમાં અરજી કરી હતી.

આ પણ વાંચો – Chaitar Vasava: Hira Jotva ની અજેન્સીનો કર્યો પર્દાફાશ

આ પણ વાંચો – Dahod મનરેગાના નામે કરોડો રૂપિયા છાપવામાં કોંગ્રેસના હીરા જોટવાની એજન્સીઓ પણ સામેલ

Scroll to Top