લગભગ એક મહિનાથી લોકોને પેટમાં દુખાવાના કેસ ખૂબ વધ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ દુખાવો Kidney Stones નો છે. અને ખરેખર જ્યારે લોકો સારવાર માટે ડોક્ટર પાસે જાય અને સોનોગ્રાફી કરાવે ત્યારે ખબર પડે કે સ્વાભાવિક રીતે આ દુખાવો તો પથરીનો જ છે. પણ આ પથરી કેવી રીતે થાય છે અને શું ખરેખર Alchohol અને બિયર પીવાથી આ પથરી નીકળી જાય છે. આ જે માન્યતા છે તેને અંગે આખી વાત કરવી છે.
પથરીની સમસ્યા લોકોમાં ખૂબ વધી રહી છે. જો તમને પણ વારંવાર પેટમાં કિડનીની કે પિતાશયમાં તીવ્ર દુખાવો થતો હોય તો એવું બની શકે કે તમારા શરીરમાં પથરી બનતી હોય છે. ખાવાની ખરાબ આદતો, પાણીની ઉણપ અને શરીરમાં ખનીજોની અસંતુલનને કારણે પથરી બનવાનું જોખમ ઊભું રહેશે. પરંતુ શું તમે જાણો છો કે શરીરમાં પથરી કેવી રીતે બને છે અને સૌથી ખતરનાક પથરી કઈ હોય છે.
આ પણ વાંચો – One Nation One Election: કડી અને વિસાવદરની ચૂંટણી રદ્દ?
આ પણ વાંચો – Visavadar: પરેશ ધાનાણી અને હીરા જોટવાનો કોને કર્યો ઘેરાવ ?
ઘણા લોકો એવા હોય છે કે જેઓ બહાર ફરવા જાય કે વેકેશન માણવા જાય ત્યારે તેઓ વધુ પ્રમાણમાં આલ્કોહોલનું સેવન કરે છે. વધુ પ્રમાણમાં આલ્કોહોલનું સેવન કરવાથી હૃદયના ધબકારા વધી જાય છે. જેના કારણે હૃદયના ધબકારા ચૂકી જવા કે બેભાન થઈ જવા જેવી ઘટનાઓ પણ બની શકે છે. આ ઘટનાને હોલ હોલીડેટ હાર્ટ સિન્ડ્રોમ પણ કહેવામાં આવે છે. લાંબા સમય સુધી આલ્કોહોલનું સેવન કરવાને કારણે આલ્કોહોલિક કાર્યાડામોપીથ એવું જે એક બીમારી છે તે પણ થઈ શકે છે. સાથે ડોક્ટર એવું પણ જણાવે છે કે હાર્ટ ફેલ જેવી ઘટનાઓ પણ બની શકે છે.