ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી Gondal ચર્ચાસ્પદ બન્યું છે. ત્યા ગોંડલના વોરાકોટડા ગામે જર, જમીન અને જોરુ ત્રણેય કજીયાના છોરુ એ કહેવત સાર્થક થતી હોય તેમ જમીન પ્રશ્ને કાકા બાપાના ભાઈઓ વચ્ચે લોહિયાળ ખેલ ખેલાયો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં કાકા તથા તેના પુત્ર સહિતના પરિવારે કરેલા હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત આધેડનું મોત થયું હતું. જ્યારે તેના પુત્રને ગંભીર ઈજા થતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. હત્યાની આ ઘટનાને લઇ ગોંડલ તાલુકા પોલીસે મૃતકના પુત્રની ફરિયાદ લઇ 4 વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે.
ગોંડલના વોરાકોટડા ગામે રહેતા રાજેશ ઉર્ફે રમેશભાઈ નાથાભાઈ સાકરીયા અને તેના પુત્ર અનિલ સાકરિયા પર રાત્રીના દોઢેક વાગે તેમના પિતાની વાડીએ હતા. ત્યારે રમેશભાઇના કાકા ચીનુ જીણાભાઇ સાકરીયા તેના પત્ની સવિતાબેન, પુત્ર અજય ઉર્ફ ટીટો, તેની પત્ની હેતલે ઝઘડો કરી છરી વડે હુમલો કરી દેતા છરીનાં ચાર થી પાંચ ઘા રાજેશભાઇને લાગતા લોહીલુહાણ હાલતમાં ઢળી પડયા હતા. પુત્ર અનિલને પણ છરી વાગતા બંને ગંભીર રીતે ઘવાયા હતા. જેથી બંનેને પ્રથમ સારવાર માટે ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર કારગત નિવડે તે પૂર્વે જ રમેશભાઇ ઉર્ફે રાજેશભાઇનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. જ્યારે ઇજાગ્રસ્ત અનિલ સાકરિયાને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો – Jay Vasavada: પારુલ યુનિ. કરશે વસાવડાની હકાલપટ્ટી?
આ પણ વાંચો – Hira Jotva: ઇતિહાસનો સૌથી મોટો માનહાનિનો દાવો કરીશ
હત્યાના બનાવને લઈને મૃતક રાજેશભાઈના પુત્ર અનિલે પોલીસ ફરિયાદમાં ચિનુ જીણા સાકરીયા, તેના પત્ની સવિતાબેન, તેનો પુત્ર અજય ઉર્ફ ટીટો તથા તેની પત્ની હેતલબેનના નામ આપી જણાવ્યું કે રાત્રીના મારા દાદા નાથાભાઈની વાડીના સેઢા પાસે આરોપીઓ દ્વારા બે ફુટ જમીન ખેડી નાખતા મારા દાદાએ ઠપકો આપતા ઉશ્કેરાયેલા આરોપીઓએ મારા દાદાની વાડીએ જઈ અપશબ્દો બોલી ઝગડો કરી રહ્યા હતા. તેની જાણ મારા પિતાને થતા હું અને મારા પિતા દાદાની વાડીએ પંહોચ્યા હતા. અમે સમજાવવા જતા અમારી ઉપર છરીથી હુમલો કર્યો હતો.
રમેશ ઉર્ફે રાજેશભાઈ અને તેના પુત્ર અનિલ પર છરી વડે હુમલો કરનાર ચિનુ સાકરીયા રાજેશભાઈના કાકા છે. જ્યારે અજય ઉર્ફ ટીટો તેનો ભાઇ છે. વારસાઈ જમીન બાબતે ભાઈઓ વચ્ચે છેલ્લા ઘણા સમયથી માથાકૂટો ચાલતી હતી. ખેતરમાં હલાણ પ્રશ્ને તેમજ ટ્રેક્ટર ચલાવવા બાબતે બંને પરિવાર વચ્ચે ઝઘડાઓ થતા હતા. દરમિયાન રાત્રીના પિતા-પુત્ર સહિતનાએ વાડીએ આવીને ઝઘડો કરી છરી વડે હુમલો કરી દીધો હતો.
Murder Case ને લઈ ગોંડલ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી. મૃતકના પુત્રની ફરિયાદના આધારે આરોપીઓ સામે ગુનો હત્યાનો ગુનો નોંધીને હત્યારા ચીનુ જણાભાઈ સાકરીયા, તેની પત્ની સવિતાબેન, પુત્ર અજય ઉર્ફે ટીટો, તેની પત્ની હેતલ સહિતના આરોપીઓને વોરાકોટડાની સીમમાંથી ઝડપી પાડ્યા હતા. હત્યાના ગુનામાં ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ તપાસ હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ પોલીસે ઝડપી પાડેલા આરોપી પૈકીનો અજય ઉર્ફે ટીટો સાકરીયા ગુનાહિત પ્રવૃતિઓ ધરાવતો હોવાની સાથે તેની સામે ગોંડલના વિવિધ પોલીસ સ્ટેશનોમાં 8 જેટલા ગુનાઓ નોંધાયા હોવાનું પોલીસે જણાવ્યું છે.