Gujarat : દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ના ગુજરાત (Gujarat) પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજના દિવસે વડાપ્રધાન મોદી (PM Narendra Modi) ના વરદ હસ્તે મહાત્મા મંદિર ખાતે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનુ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્મ યોજાયો હતો તે પહેલા ઓપરેશન સિદુંરની સફળતામાં તેમજ ભારતીય સૈન્યના સાહસી પરાક્રમના સન્માનમાં સેકટર 17 થી મહાત્મા મંદિર સુધી વડાપ્રધાન મોદી (PM Narendra Modi) નો રોડ-શો યોજાયો હતો જેમા ગાંધીનગરની જનતાએ હાથમાં તિરંગો લહેરાવી.. ભારત માતા કી જયના નાદ લગાવી પુષ્પોથી ઉષ્માભેર આવકાર આપ્યો હતો તો વડાપ્રધાન મોદી (PM Narendra Modi) એ પણ ઉપસ્થિત સૌ નગરજનોને વંદન કરી અભિવાદન સ્વીકાર્યુ હતું. વડાપ્રધાન મોદી (PM Narendra Modi) ના રોડ-શોમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રિય જળશક્તિમંત્રીશ્રી સી.આર.પાટીલ તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ગાંઘીનગર (Gandhinagar) ખાતે ભવ્ય રોડ-શો પછી મહાત્મા મંદિર ખાતે વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ધાટન કર્યુ આ કાર્યક્રમમાં કેન્દ્રિય મંત્રી મનોહરલાલ ખટ્ટરએ પ્રાસંગિક સંબોધન કર્યુ હતું. આ કાર્યક્રમમાં રાજયના રાજયપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ સંબોધન કરતા જણાવ્યું કે, હું બે દિવસ ગુજરાત (Gujarat) પ્રવાસ આવ્યો છું ત્યારે પહેલા વડોદરા, દાહોદ, ભૂજ, અમદાવાદ અને આજે ગાંઘીનગર (Gandhinagar) માં જ્યાં જ્યાં ગયો ત્યાં એમ લાગે છે કે દેશ ભક્તિનો જુસ્સો, સિદુંરિયા સાગરની ગર્જના, લહેરાતો ધ્વજ, જન મનનાં હ્રદયમાં માતૃભુમિ માટે અપાર પ્રેમ આ એવા દ્રશ્યો હતા જે હિન્દુસ્તાનનાં ખૂણે ખૂણે જોવા મળે છે. ભારતે નક્કી કર્યુ છે કે આપણને ખુંચતો કાંટો નીકાળીને જ રહીશું. 1947માં જ્યારે મા ભારતીના ત્રણ ટુકડા થયા અને એ જ રાત્રે પહેલો આતંકી હુમલો કાશ્મિરની ધરતી પર થયો અને મા ભારતીનો એક હિસ્સો આતંકવાદીઓના નામે પાકિસ્તાને છીનવી લીધો. એ જ દિવસે આ આંતકીઓને મોતને ઘાટ ઉતારી દીઘા હોત અને સરદાર પટેલની ઇચ્છા હતી જ્યા સુઘી POK પરત ન આવે ત્યા સુઘી સેના અટકવી ન જોઇએ. સરદાર સાહેબની વાત માની નહી અને આ આંતકવાદનો સિલસિલો સતત ચાલી રહ્યો છે અને પહલગામની આંતકી ઘટના આનુ જ વિકૃત રૂપ છે. પાકિસ્તાન સાથે યુદ્ધની વાત આવી ત્યારે ભારતીય સેનાએ પાકિસ્તાનને હંફાવ્યું છે અને પાકિસ્તાન સમજી ગયુ કે યુદ્ધમાં ભારત સામે જીતી નહી શકે એટલે પાકિસ્તાને પ્રોકસી વોર ચાલુ કર્યુ.
વડાપ્રધાન મોદી (PM Narendra Modi) એ વધુમાં જણાવ્યું કે, પાકિસ્તાનમાંથી આતંકીઓને ભારત મોકલવામાં આવતા અને નિર્દોષ લોકોને મારતા રહ્યા અને આપણે સહન કરતા રહ્યા. આ દેશ મહાન સંસ્કૃતિ અને પરંપરા સાથે ચાલે છે વસુધૈવ કુટુંબકમ એ આપણા સંસ્કાર છે આપણું ચરિત્ર છે. ભારત વિશ્વને એક પરિવાર માને છે, ભારત તેના પાડોશીને પણ સુખી જોવા માગે છે, પાડોશી દેશ પણ સુખેથી જીવે અને ભારતને પણ સુખેથી જીવવા દે. જ્યારે વારંવાર આપણા સામર્થ્યને લલકારવામાં આવે તો આ દેશ વીરોની ભૂમિ છે. આજ સુધી જેને આપણે પ્રોકસી વોર કહેતા અને 6 મે પછી જે દ્રશ્યો જોયા તે પછી આપણે તેને પ્રોકસી વોર કહેવાની ભૂલ ન કરી શકીએ. આનુ કારણ એ છે કે આતંકવાદના 9 સેન્ટરોને 22 મીનીટમાં ધ્વસ્ત કર્યા આ વખતે કેમેરાની પણ વ્યવસ્થા કરી હતી જેથી આપણા જ ઘરમાં કોઇ સબુત ન માગે.
વડાપ્રધાન મોદી (PM Narendra Modi) એ પાકિસ્તાનને આંખ બતાવતા વધુમાં જણાવ્યું કે, ભારતીય સેનાના હુમલામા જે આતંકીઓના કતલ કરવામાં આવ્યા તેમના જનાજાને સ્ટેટ ઓનર પાકિસ્તાને આપ્યું, પાકિસ્તાની સેનાએ તેમને સેલ્યુટ આપ્યુ એ જ બતાવે છે કે આતંકવાદી ઘટના પ્રોકસી વોર નથી આ સમજી વિચારી યુદ્ધની રણનીતી છે, પાકિસ્તાન જે કરશે તેનો જવાબ પણ એ જ રીતે મળશે. ભારત પ્રગતિના પંથે ચાલી રહ્યો છે, મુશ્કેલ સમયમાં મદદ પણ કરીએ છીએ પરંતુ બદલામાં ખૂનની નદીઓ વહે છે. ભારત કોઇથી દુશ્મની નથી ઇચ્છતું, ભારત પ્રગતિ પણ એટલા માટે કરવા માંગે છે કે વિશ્વના સારા માટે ભારત યોગદાન આપી શકે.
વડાપ્રધાન મોદી (PM Narendra Modi) 26 મેની તારીખને યાદ કરતા જણાવ્યું કે, ગઇકાલે 26મે ના રોજ વર્ષ 2014માં પહેલી વખત વડાપ્રધાન (PM) તરીકેના શપથ લેવાની તક મળી હતી ત્યારે ભારતની અર્થવ્યવસ્થા દુનિયામાં 11માં ક્રમાંકે હતી અને આજે ચોથા નંબરની અર્થવ્યવસ્થામાં પહોંચ્યા છે કારણ કે આપણે વિકાસ ઇચ્છીએ છીએ. ગુજરાતનો રૂણી છું આ માટીએ મને મોટો કર્યો, અંહીથી જે શિક્ષા-દિક્ષા મળી, અંહી જે શીખ્યો, જે મંત્ર તમે આપ્યો તેને દેશવાસીઓના કામ આવે તેવા પ્રયત્ન કરુ છું. ગુજરાત સરકારે શહેરી વિકાસ વર્ષ 2005માં એક કાર્યક્રમ કર્યો હતો. 20 વર્ષના શહેરી વિકાસયાત્રામાં સરકારે આવનાર શહેરી વિકાસને આવનારી પેઢી માટે રોડમેપ બનાવ્યો તેને ગુજરાત સામે રાખ્યો તે બદલ ગુજરાત સરકાર, મુખ્યમંત્રી અને તેમની ટીમને અભિનંદન પાઠવું છું. આપણું લક્ષ્ય છે કે વર્ષ 2047માં ભારત વિકસીત થવું જોઇએ તેમા કોઇ કોમ્પ્રોમાઈઝ નથી કરવાના. આઝાદીના 100માં વર્ષમા દુનિયામાં વિકસીત ભારતનો ઝંડો ફરકવો જોઇએ.
વડાપ્રધાન મોદી (PM Narendra Modi) એ વધુમાં જણાવ્યું કે, આપણે એક સંકલ્પ લેવો જોઇએ કે Gujarat 75 વર્ષ ઉજવે ત્યારે તેના એક વર્ષ પછી ઓલિમ્પિક થવાનું છે ત્યારે દેશ ઇચ્છે છે કે ઓલિમ્પિક ભારતમાં થાય. ગુજરાત (Gujarat) પાસે એક સમયે મીઠા સિવાય કશુ નહોતુ. આજે દુનિયામા હિરા માટે ગુજરાત (Gujarat) જાણીતું છે, પહેલા ગુજરાત (Gujarat) માં ટુરિઝમની કોઇ વાત નહોતુ કરતું આજે ગુજરાત (Gujarat) માં ફરવા વિદેશીઓ ઉમટી પડે છે. રણોત્સવથી માંડીને એડવેન્ચર સ્પોર્ટ સુધીની સફર આપણે કરી છે. પહેલા ક્રિકેટ હિન્દુસ્તાનની ગલી ગલીમા રમાતી પરંતુ મોટા શહેરોમા મોટા પરિવાર સુધી સિમિત હતી. આજે મોટા ભાગના ખેલાડી ટીયર-2, ટીયર-3 ગામડાના ખેલાડીઓ પણ ભાગ લે છે. ભારતના લોકોની સામર્થશક્તિ ખૂબ છે, મારા મનમા નિરાશા જેવી વસ્તુ આવતી નથી. હું મારા દેશવાસીઓની સામર્થશક્તિને જોઇ શકું છે. હું ગુજરાત (Gujarat) સરકારનો આભાર વ્યકત છું કે આજે અહી ઉપસ્થિત રહેવાની તક આપી, ગુજરાત (Gujarat) ની મોટી જવાબદારી છે. આપણે આપવાવાળા લોકો છીએ આપણે દેશને હમેંશા આપવાનું છે અને ગુજરાત (Gujarat) ને એટલી ઉંચાઇ પર લઇ જઇએ કે દેશવાસીઓ માટે ગુજરાત (Gujarat) અગ્રેસર રહે. ગુજરાત (Gujarat) નવા સામર્થય સાથે નવી કલ્પનાઓ નવા વિચાર સાથે આગળ વધશે તેવો વિશ્વાસ છે. 6 મેની રાત્રે ઓપરેશન સિંદુર સૈન્ય બળથી પ્રારંભ થયુ અને હવે ઓપરેશન સિંદુર જનબળથી આગળ વઘશે. ઓપરેશન સિંદુર જનબળનો અર્થ છે જનજન દેશના વિકાસ માટે ભાગીદાર બને.ભારતની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા કોઇ વિદેશ વસ્તુનો ઉપયોગ નહી કરીએ આપણે ગામડે ગામડે શહેર શહેર વેપારીઓને શપથ લેવડાવીએ કે કોઇ વિદેશી વસ્તુ નહી વહેંચે. દેશને બચાવવો હશે… દેશને મજબૂત બનાવવો હશે તો ઓપરેશન સિંદુર ફકત સેના માટે નથી પણ ઓપરેશન સિંદુર 140 કરોડ નાગરીકોની જવાબદારી છે. દેશ સમર્થ હોવો જોઇએ દેશનો નાગરિક સમર્થ હોવો જોઇએ તે માટે વોકલ ફોર લોકલ, વન ડિસ્ટ્રીક વન પ્રોડકટને અનુસરવું જોઇએ. ઓપરેશન સિંદુર સૈન્ય બળથી નહી પણ જનશક્તિથી જીતવાનું છે.
આ કાર્યક્રમમાં રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, આપરેશન સિંદુરની ભવ્ય સફળતા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) તેમજ ભારતીય સેનાના જવાનોને ગુજરાત (Gujarat) વતી અભિનંદન પાઠવું છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ વિકાસ માટે સુરક્ષા અને સમૃદ્ધી બંનેને મહત્વ આપ્યું છે. વડાપ્રધાન (PM Narendra Modi) ના નેતૃત્વમાં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની ચોથા નંબરની અર્થવ્યવસ્થા બની છે તે માટે આપ સૌ વતી વડાપ્રધાન (PM Narendra Modi) ને અભિનંદન પાઠવું છું. ગુજરાત (Gujarat) ભાગ્યશાળી છે કે નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના કુશળ નેતૃત્વનો લાભ અઠી દાયકાથી વધુ સમયથી મળતો રહ્યો છે. શહેરી વિકાસની ઉજવણી પહેલા આપણે ત્યા નગરપાલિકા પાસે પુરતા નાણાના અભાવે વિકાસ કામો અટકી પડતા નગર એટલે નળ, ગટર અને રસ્તા એવા વિકાસ કામો પુરતો જ શહેરીકરણનો ખ્યાલ સિમિત હતો. રાજકોટ જેવા મોટા શહેરમાં પણ ટેન્કરરાજ ચાલતુ હતું. વડાપ્રધાન (PM Narendra Modi) એ શહેરીવિકાસની પરિભાષા તેમના મુખ્યમંત્રી કાર્યકાળમાં બદલી છે, આજે વડાપ્રધાન (PM Narendra Modi) ના માર્ગદર્શનમાં આપણું ગુજરાત શહેરી વિકાસ સહિત સર્વાગી વિકાસનું રોલ મોડલ બન્યું છે. આજે બે દશકમાં વડાપ્રધાનના માર્ગદર્શનમાં Gujarat શહેરીજનના સુખાકારી અને સુવિઘાના અનેક પ્રકલ્પોના આયામો સફળતાપુર્વક પાર પાડયા છે. વડાપ્રધાન (PM Narendra Modi) ના વિઝનથી આકાર પામેલા ગીફટ સીટી, ડ્રિમ સીટી, સાબરમતી રિવરફ્રન્ટ, બીઆરટીએસ, મેટ્રો સહિત શહેરોને આગવી ઓળખ આપાવતા આઇકોનીક પ્રોજકેટ ગુજરાત (Gujarat) ના આધુનિક શહેરની ઓળખ બની ગયા છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન (PM Narendra Modi) બન્યા ત્યારથી દેશના શહેરીવિસ્તારની કાયાપલટ કરવાનો યજ્ઞ શરૂ કર્યો છે. આપણા નગરો હરિયાળા અને સ્વચ્છ બને તેમજ સસ્ટેનેબલ વિકાસ સાથે સ્માર્ટ શહેર બને તેવા નિર્ધાર આ શહેરી વિકાસ વર્ષમાં સૌ સાથે મળી પાર પાડીશું તેવો વિશ્વાસ વડાપ્રધાનને આપું છું.