રતન ટાટાને ક્યા નિર્ણય પર પસ્તાવો થયો હતો, બુકમાં થયા મોટા ખુલાસા

લાંબા સમય સુધી ટાટા સન્સનું નેતૃત્વ કરનાર સ્વર્ગસ્થ ઉદ્યોગપતિ રતન ટાટાને લાગ્યું કે, તેમના સાવકા ભાઈ નોએલ ટાટાને તેમના ઉતરા અધિકારી બનવા માટે વધુ અનુભવની જરૂર છે. તાજેતરમાં બહાર પડેલા પુસ્તકમાં આ વાત કહેવામાં આવી છે. તાજેતરમાં રતન ટાટાના અવસાન બાદ નોએલ ટાટાને ટાટા ટ્રસ્ટના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ ટ્રસ્ટ આડકતરી રીતે US $165 બિલિયન ટાટા ગ્રુપનું નેટવર્ક ધરાવે છે. ચાલો તમને એ પણ જણાવીએ કે, આ પુસ્તકમાં નોએલ ટાટાને લઈને રતન ટાટાના વિચારો શું છે?

પુસ્તક થોમસ મેથ્યુ દ્વારા લખાયેલ છે

માર્ચ 2011માં જ્યારે રતન ટાટાના ઉત્તરાધિકારી શોધવા માટે ઘણા ઉમેદવારોને શોધવામાં આવ્યા હતા. ત્યારે નોએલ ટાટા પણ તેમાં સામેલ હતા. રતન ટાટાએ ઉત્તરાધિકારી શોધવા માટે રચાયેલી પસંદગી સમિતિથી દૂર રહેવાનો નિર્ણય લીધો હતો. રતન ટાટાની જીવનચરિત્ર – રતન ટાટા એ લાઈફ મુજબ, તેમને આ નિર્ણય પર પસ્તાવો થયો હતો. આ પુસ્તક થોમસ મેથ્યુ દ્વારા લખાયેલ છે અને હાર્પરકોલિન્સ પબ્લિશર્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે.

રતન ટાટાએ પસંદગી સમિતિથી દૂર રહેવાનો નિર્ણય લીધો હતો

પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે, રતન ટાટા પસંદગી સમિતિથી દૂર રહ્યા કારણ કે, ટાટા જૂથમાંથી ઘણા ઉમેદવારો હતા અને તેઓ તેમને ખાતરી આપવા માગતા હતા કે, એક સામૂહિક સંસ્થા સર્વસંમતિના નિર્ણયના આધારે તેમાંથી એકની ભલામણ કરશે. પસંદગી સમિતિથી દૂર રહેવાનું બીજું કારણ વ્યક્તિગત હતું, કારણ કે, વ્યાપકપણે એવું માનવામાં આવતું હતું કે, તેમના સાવકા ભાઈ નોએલ ટાટા તેમના ઉત્તરાધિકારી થવાના મજબુત ઉમેદવાર હતા.

નોએલ પાસે વધારે અનુભવ હોવો જોઈએ

કંપનીમાં પારસી સમુદાયના પરંપરાવાદીઓના દબાણ વચ્ચે, નોએલ ટાટા નજીકના માનવામાં આવતા હતા. પુસ્તક અનુસાર રતન ટાટા માટે માત્ર વ્યક્તિની પ્રતિભા અને મૂલ્યો જ મહત્વના હતા. લેખકના મતે, રતન ટાટા નહોતા ઈચ્છતા કે, નોએલને તેમના હરીફ તરીકે જોવામાં આવે. રતન ટાટાએ કહ્યું કે, ટોચના પદ માટે સફળતાપૂર્વક સ્પર્ધા કરવા માટે, નોએલ પાસે અત્યાર સુધી જે અનુભવ હતો તેના કરતાં વધુ અનુભવ હોવો જોઈએ.

Scroll to Top