ગોંડલ પંથકમાં ચકચારી Amit Khunt Case માં Rajdeepsinh અને Aniruddhsinh ની મુશ્કેલીમાં વધારો થઇ છે. Amit Khunt Case માં Puja Rajgor ની જામીન અરજી નામંજૂર થઈ છે. ગોંડલના રીબડા ગામના અમિત ખૂંટ પ્રકરણમાં આક્ષેપોમાં પૂજાનું નામ સામેલ છે. અમિત ખૂંટની આખરી નોટમાં પૂજા રાજગોરનું નામ ખુલ્યું હતું. પૂજાનું નામ ખુલતાં પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ કોર્ટ સમક્ષ મુકતાં કોર્ટે એ જામીન અરજી નામંજૂર કરી હતી. હવે પૂજા હાઇકોર્ટના દ્વાર ખખડાવી તેવી શક્યતા છે. જો કે આ કેસમાં હજુ અનિરુદ્ધસિંહ અને રાજદિપસિંહની ધરપકડ થવાની બાકી છે.
Amit Khunt Case માં ગઈકાલે શું થયું હતું?
ગઈકાલે અમિત ખૂંટના કાકા જયંતી ખૂંટ દ્વારા પ્રેસ કૉન્ફરન્સ યોજવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આગામી 15 થી 20 દિવસોમાં તેમના પરિવારજનોને ન્યાય નહીં મળે તો તેઓ સામુહિક આત્મવિલોપન કરશે. અમિત ખૂંટ દ્વારા અંતિમ પગલું ભરતા પહેલા લખવામાં આવેલી સ્યુસાઈડ નોટમાં Aniruddhsinh Jadeja અને Rajdeepsinh Jadeja ના નામનો ઉલ્લેખ હોવા છતાં હજુ સુધી તેમની ધરપકડ ના થવાથી પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો – Hiralba Jadeja: સાયબર ફ્રોડ ગેંગના માસ્ટરમાઈન્ડ!
આ પણ વાંચો – Anirudhsinh Gohil: કોંગ્રેસ નેતાનો દીકરો દુષ્કર્મ આચરનાર આરોપી
અમિત ખૂંટના પરિવારજનોને ન્યાય અપાવવા ખાતર ગઈકાલે રીબડા ગામે 50 જેટલા સરપંચો અને ઉપસરપંચો એકઠા થયા હતા. આ તમામ આગેવાનોએ આરોપીઓ વિરુદ્ધ આક્રોષ ઠાલવ્યો હતો. જ્યાં સરપંચોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, અમિત ખૂંટને કાવાદાવા કરીને હનીટ્રેપના કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યો હતો. આ ગુનાના આરોપીઓ અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ જાડેજા ફરાર છે, ત્યારે જયંતીભાઈ ખૂંટે આક્ષેપ કર્યો હતો કે, ઠાકરધણી હોટેલ અને બાપાસીતારામ હોટેલમાં દેશી દારૂ વેચાય છે અને જુગારના અડ્ડા પણ આ હોટેલમાં ચાલે છે. તેમણે તાત્કાલિક ધોરણે આરોપીઓની ધરપકડ કરવાની માંગ કરી હતી.