Helicopter Crash: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગંગોત્રી જઈ રહેલું હેલિકોપ્ટર ક્રેશ, પાંચના મોત

Helicopter crashes in Uttarakhands Uttarkashi district 5 died

Helicopter Crash: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં હેલિકોપ્ટર ક્રેશ થતાં પાંચના મોત થયા છે. અકસ્માત સમયે હેલિકોપ્ટરમાં સાત મુસાફરો સવાર હતા. હેલિકોપ્ટર ક્રેશમાં અન્ય 2 લોકો ઘાયલ, પોલીસ અને વહીવટી તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

ગુરુવારના રોજ ઉત્તરાખંડ (Uttarakhand)ના ઉત્તરકાશી (Uttarkashi) નજીક એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં પાંચ પ્રવાસીઓના મોત થયા હતા અને બે ઘાયલ થયો હતો. આ ઘટના સવારે 9 વાગ્યે ગંગણી નજીક બની હતી, જ્યારે એક ખાનગી કંપનીનું હેલિકોપ્ટર દહેરાદૂનથી ગંગોત્રી જઈ રહ્યું હતું.

વિમાનમાં સવાર લોકોની ઓળખ વિનીત ગુપ્તા, અરવિંદ અગ્રવાલ, વિપિન અગ્રવાલ, પિંકી અગ્રવાલ, રશ્મિ અને કિશોર જાધવ તરીકે થઈ છે.

ઉત્તરકાશી નજીકના ઘટનાસ્થળ માટે પોલીસ, સેના દળો, આપત્તિ વ્યવસ્થાપન ટીમો અને એમ્બ્યુલન્સ રવાના થઈ ગઈ છે. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

અકસ્માતના સમાચાર મળતાં જ સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF), ઝડપી પ્રતિભાવ ટીમો, 108 એમ્બ્યુલન્સ વાહનો અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

આ દુ:ખદ ઘટનાના સમાચાર મળ્યા બાદ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો. તેમણે મૃતકોના આત્માઓને શાંતિ અને શોકગ્રસ્ત પરિવારોને આ અપૂર્ણ નુકસાન સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના પણ કરી. મુખ્યમંત્રીએ વહીવટીતંત્રને ઘાયલોને શક્ય તમામ સહાય પૂરી પાડવા અને ઘટનાની તપાસ કરવાનો નિર્દેશ પણ આપ્યો.

 

Scroll to Top