Waqf law | વક્ફ કાયદા પર સુપ્રીમનો સ્ટે નહીં, પરંતુ નવી નિમણૂકો પર રોક, કેન્દ્ર 7 દિવસમાં જવાબ આપશે; 5 મેના રોજ આગામી સુનાવણી

Waqf law We do not stay a legislation normally at this stage of the challenge Supreme Court

⇒  વક્ફ કાયદા (Waqf law) પર સુપ્રીમ કોર્ટનો સ્ટે નહીં, પરંતુ નવી નિમણૂકો પર રોક

⇒  કેન્દ્ર 7 દિવસમાં જવાબ આપશે; 5 મેના રોજ આગામી સુનાવણી

 

Waqf law News |  સુપ્રીમ કોર્ટમાં વક્ફ સુધારા કાયદાને પડકારતી અરજીઓ પર ગુરુવારના રોજ બીજા દિવસે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન એસજી તુષાર મહેતાએ જવાબ દાખલ કરવા માટે કોર્ટ પાસે 7 દિવસનો સમય માંગ્યો હતો. એસજીએ ખાતરી આપી હતી કે આગામી સુનાવણી સુધી વકફ બોર્ડ અથવા વકફ કાઉન્સિલમાં કોઈ સભ્ય ઉમેરવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટે તેમનું નિવેદન રેકોર્ડ પર લીધું અને સરકારને જવાબ દાખલ કરવા માટે 7 દિવસનો સમય આપ્યો છે હવે વધુ સુનાવણી આગામી 5 મે ના રોજ હાથ ધરાશે. સુપ્રીમ કોર્ટે આ કાયદા પર કોઈ સ્ટે મૂક્યો નથી.

કેન્દ્ર સરકારના વકફ સુધારા કાયદાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) ગુરૂવારના રોજ સતત બીજા દિવસે સુનાવણી હાથ ધરી હતી. એસજી તુષાર મહેતાએ જવાબ દાખલ કરવા માટે કોર્ટ પાસે 7 દિવસનો સમય માંગ્યો હતો. એસજીએ ખાતરી આપી હતી કે આગામી સુનાવણી સુધી વકફ બોર્ડ અથવા વકફ કાઉન્સિલમાં કોઈ સભ્ય ઉમેરવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટે તેમનું નિવેદન રેકોર્ડ પર લીધું અને સરકારને જવાબ દાખલ કરવા માટે 7 દિવસનો સમય આપ્યો છે હવે વધુ સુનાવણી આગામી 5 મે ના રોજ હાથ ધરાશે.

CJI એ એમ પણ કહ્યું કે, “1995 અને 2013ના વક્ફ કાયદાઓ (Waqf law)ને પડકારતી અરજીઓને સુપ્રીમ કોર્ટની કારણ યાદીમાં અલગથી મૂકવામાં આવશે જેથી તેમની અલગથી સુનાવણી થઈ શકે.” સુપ્રીમ કોર્ટ હવે આગામી સુનાવણી 5 મેના રોજ કરશે.

કેન્દ્ર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ (Solicitor General) તુષાર મહેતા (Tushar Mehta)એ જણાવ્યું હતું કે સ્ટે લાદવાનો કોઈ આધાર નથી. જો સ્ટે લાદવામાં આવે તો તે બિનજરૂરી રીતે કઠોર પગલું હશે. કેન્દ્ર સરકારે જવાબ આપવા માટે એક અઠવાડિયાનો સમય માંગ્યો છે. કોર્ટના આદેશની ભારે અસર પડશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે કાયદા વિરુદ્ધ કરાયેલી 70 અરજીઓને બદલે, ફક્ત 5 અરજીઓ દાખલ કરવી જોઈએ. તેના પર જ સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘110 થી 120 ફાઇલો વાંચવી શક્ય નથી.’ આવી સ્થિતિમાં, આવા 5 મુદ્દા નક્કી કરવા પડશે. ફક્ત 5 મુખ્ય વાંધાઓ પર જ સુનાવણી કરવામાં આવશે. બધા અરજદારોએ મુખ્ય મુદ્દાઓ પર સંમત થવું જોઈએ. આ વાંધાઓ નોડલ કાઉન્સિલ દ્વારા નક્કી કરો.

CJI સંજીવ ખન્ના, જસ્ટિસ પીવી સંજય કુમાર અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચ આ કેસની સુનાવણી કરી. બેન્ચે વકફ બોર્ડ અને સેન્ટ્રલ વકફ કાઉન્સિલમાં બિન-મુસ્લિમોને સમાવવાની જોગવાઈ પર નારાજગી વ્યક્ત કરી. બેન્ચે કેન્દ્રને પૂછ્યું કે શું મુસ્લિમોને હિન્દુ ધાર્મિક ટ્રસ્ટમાં સામેલ કરી શકાય છે. આ કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં 100થી વધુ અરજીઓ કરવામાં આવી છે. 16 એપ્રિલના રોજ બે કલાક લાંબી સુનાવણીમાં કોર્ટે કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો હતો. તેમજ, કાયદાને રોકવાનો ઇનકાર કર્યો હતો.


WhatsApp Channel


You Can also Follow us on Social Media
Youtube  | Facebook | Instagram | X (Twitter) | WhatsApp
Scroll to Top