Congress National Conference : ગુજરાતમાં આશરે 64 વર્ષ પછી કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ચાલી રહ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનો મંગળવારે પહેલો દિવસ હતો. જ્યારે આજે બુધવારે બીજો દિવસ છે. મંગળવારે સરદાર સ્મારકમાં CWCની બેઠક મળી હતી. અને ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભા યોજાઈ હતી. જ્યારે આજે અમદાવાદમાં સાબરમતીના કિનારે બીજા દિવસની બેઠક થશે. બેઠકમાં કોંગ્રેસને બેઠી કરવા રિવરફ્રન્ટ પર મંથન કરાશે. આ બેઠકમાં કોંગ્રેસના 3000થી વધારે નેતાઓ હાજર રહેશે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનના બીજા દિવસે દેશના કોંગ્રેસ નેતાઓનો જમાવડો થયો છે અને પાર્ટીના એજન્ડા ઉપર ચર્ચા કરશે. રાષ્ટ્રીય અધિવેશનમાં અનેક ઠરાવ પર ચર્ચા કરવામાં આવશે. એટલું જ નહીં. ગુજરાત કોંગ્રેસ અંગે મોટા ફેરફારો પણ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ 2027માં ગુજરાતમાં ભાજપને હરાવવાની ચેલેન્જ આપી છે ત્યારે આજના અધિવેશનમાં ગુજરાત કોંગ્રેસને લઈ મહત્વનો નિર્ણય થઈ શકે છે.
આ ઠરાવ પસાર કરાશે
સોશિયલ રિફોર્મને લઇને ઠરાવ કરાશે
વિદેશ નીતિને લઇને ઠરાવ થશે.
યુથ કોંગ્રેસમાં બદલાવને લઇને ઠરાવ
કોંગ્રેસ સંગઠનમાં ફેરબદલને લઇને ઠરાવ
ઈકોનોમિકલ ભારતને ક્યા લઇ જવું તેને લઇને ઠરાવ પસાર થશે
આગામી ચૂંટણીને લઇને ઠરાવ થશે
દેશ પર સંકટના વાદળો ઘેરાય ત્યારે ગુજરાતે રસ્તો બતાવ્યો
દેશના ભવિષ્ય વિશે વાત કરતાં પવન ખેરાએ કહ્યું હતું કે ‘કોંગ્રેસ તરફ જોઇ રહ્યો છે અને કોંગ્રેસ ગુજરાત તરફ જોઇ રહી છે. જ્યારે પણ દેશમાં અંધકાર અથવા સંકટના વાદળો છવાયા છે, ત્યારે ગુજરાતે રસ્તો બતાવ્યો છે. 3 દાયકાથી ગુજરાતમાં કોંગ્રેસ સત્તાથી દૂર છે. કોંગ્રેસ ગુજરાતમાં ન્યાય પથ પર ચાલીને પરિવર્તન લાવશે અને આગામી 2027ની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ જીત થશે.