પાકિસ્તાન હિન્દુ પરીવારને દિવાળીની ઉજવણી માટે 3 હજાર આપશે, 2,200 પરીવારને થશે ફાયદો

એક બાજુ પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચારના સમાચારો ખૂબ જ સામાન્ય છે, તો બીજી બાજુ હવે પાકિસ્તાનના પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝે તેમના પક્ષમાં મોટો નિર્ણય લીધો છે. મરિયમ નવાઝ શરીફની આગેવાની હેઠળની પાકિસ્તાનની પંજાબ સરકાર ગુરુ નાનક જયંતિ અને દિવાળી પહેલા રાજ્યના 2,200 શીખ અને હિન્દુ પરિવારોને 10,000 પાકિસ્તાની રૂપિયા (ભારતના લગભગ 3 હજાર) આપશે. આ ઉપરાંત બલૂચિસ્તાન સરકારે પણ મોટું એલાન કરતા દિવાળીના અવસર પર હિન્દુ કર્મચારીઓ માટે 3 દિવસની રજાની જાહેરાત કરી છે.

હિન્દુ પરીવારને નાણાકીય મદદ કરશે
એક અહેવાલ પ્રમાણે પંજાબ સરકારના એક પ્રવક્તાએ જણાવ્યું કે, ‘મુખ્યમંત્રીએ અધિકારીઓને આદેશ આપ્યો છે કે, આપણા હિન્દુ અને શીખ ભાઈઓને તહેવાર કાર્ડ વહેંચવાની પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરી દો. આ વર્ષની શરૂઆતથી આ 2,200 પરિવારોને તહેવાર કાર્ડ કાર્યક્રમના ભાગરૂપે વાર્ષિક નાણાકીય મદદ મળશે. પાકિસ્તાનની પંજાબ સરકાર રાજ્યના 2,200 શીખ અને હિન્દુ પરિવારોને ગુરુ નાનક જયંતિ અને દિવાળી ઉજવવા માટે 10,000 પાકિસ્તાની રૂપિયા (લગભગ 3,000 ભારતીય રૂપિયા) આપીને તહેવાર કાર્ડ આપશે.’

 

ભારતમાંથી શ્રદ્ધાળુઓ પાકિસ્તાન જાય છે
ગુરુ નાનક જયંતિના અવસર પર દર વર્ષે ભારતમાંથી પણ શ્રદ્ધાળુઓ પાકિસ્તાન જાય છે. કરતારપુર કોરિડોર દ્વારા મોટી સંખ્યામાં શીખ શ્રદ્ધાળુઓ પાકિસ્તાન જાય છે. આ પ્રવાસ માટે તેમને કોઈ વિઝાની જરૂર નથી હોતી. જો કે, તેમની પાસેથી સર્વિસ ચાર્જ તરીકે 20 ડોલર વસૂલવામાં આવે છે. ભારતીય વિદેશ મંત્રાલયે ફરી એકવાર પાકિસ્તાનને આ ફી માફ કરવાની અપીલ પણ કરી છે.

હિન્દુ સરકારી કર્માચારીઓને કુલ 4 રજા મળશે

બલૂચિસ્તાન સરકારે દિવાળીના અવસર પર હિન્દુ કર્મચારીઓ માટે 3 દિવસની રજા જાહેર કરી છે. પાકિસ્તાની મીડિયાના જણાવ્યા પ્રમાણે બલૂચિસ્તાન સરકારે દિવાળીના અવસર પર હિન્દુ સમુદાયના સરકારી કર્મચારીઓ માટે 3 દિવસની રજાઓનું નોટિફિકેશન જારી કર્યું છે. કર્મચારીઓને ગુરુવાર, શુક્રવાર અને શનિવારે રજા મળશે. બીજી તરફ રવિવારની સાપ્તાહિક રજા સાથે હિન્દુ સરકારી કર્માચારીઓને કુલ 4 રજા મળશે.

Scroll to Top