સિંગર A. R. Rahman ને અચાનક શું થયું ?, ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા

સંગીતકાર એ.આર. રહેમાન ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. છાતીમાં દુખાવાની ફરિયાદને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જો બધું બરાબર રહ્યું તો તેમને સાંજ સુધીમાં રજા આપવામાં આવશે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે એઆર રહેમાને છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી, ત્યારબાદ તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, રહેમાનની એન્જીયોગ્રામ થઈ શકે છે. જોકે, તેમના સ્વાસ્થ્ય વિશે હજુ સુધી વધુ માહિતી બહાર આવી નથી. પરંતુ રહેમાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાના સમાચારથી તેમના બધા ચાહકો ચિંતિત થઈ ગયા છે અને તેમના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.

Image

A. R. Rahman એ સોશિયલ મિડિયા પર પોસ્ટ કરી અને કહ્યું હું ઠીક છુ  

Rahmanના ફેન્સ સોશિયલ મીડિયા પર તબિયતને લઇ કરી રહ્યા છે ચિંતા 

 

એ આર રહેમાનની આ વાત તમને યાદ નહિ હોઈ
અહેવાલો અનુસાર, રહેમાને તેના હાઇસ્કૂલના મિત્રો સાથે મળીને એક બેન્ડ બનાવ્યું હતું. આ પછી, તેમણે પોતાનો અભ્યાસ છોડી દીધો અને પોતાનો આખો સમય સંગીતમાં સમર્પિત કરવાનું શરૂ કર્યું. તેમણે ઘણા મોટા સંગીતકારો સાથે કામ કરવાનું શરૂ કર્યું અને સંઘર્ષ પછી, તેમને મણિરત્નમની ફિલ્મ રોજા માટે સંગીત બનાવવાની તક મળી. પછી બોલિવૂડમાં તેમણે રામ ગોપાલ વર્માની ફિલ્મ રંગીલા માટે સંગીત આપ્યું. આ પછી તેણે ક્યારેય પાછળ વળીને જોયું નહીં.

Image

 

એઆર રહેમાન વિશે વાત કરીએ તો તેમને સંગીત જગતના રાજા માનવામાં આવે છે. તેમને બાળપણથી જ સંગીતમાં રસ હતો. તેમણે 4 વર્ષની નાની ઉંમરે પિયાનો શીખવાનું શરૂ કર્યું. તેમણે બાળપણમાં જ ઘણા સંગીતનાં સાધનો વગાડવાનું શરૂ કરી દીધું હતું. એ.આર. રહેમાનના પિતા આર.કે. શેખર તમિલ અને મલયાલમ ફિલ્મોના મોટા સંગીતકાર હતા. રહેમાને બાળપણથી જ તેમના પિતાને સંગીતમાં મદદ કરવાનું શરૂ કર્યું. આ રીતે તેમની ગાયકી યાત્રા શરૂ થઈ. પરંતુ જ્યારે તે 9 વર્ષનો હતો ત્યારે તેના પિતાનું અવસાન થયું. આવી સ્થિતિમાં, તેમણે નાની ઉંમરે અભ્યાસની સાથે કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું પડ્યું.

AR Rahman admitted to Chennai hospital after complaining of chest pain | India News - Business Standard

રહેમાન સંગીતની દુનિયામાં આગળ વધતા રહ્યા, તેમણે અત્યાર સુધી ઘણી ફિલ્મોમાં જબરદસ્ત સંગીત આપ્યું છે, જેમાં ‘દિલ સે’, ‘લગાન’, ‘જોધા અકબર’, ‘તાલ’, ‘દિલ્હી 6’, ‘રંગ દે બસંતી’ અને ‘રોકસ્ટાર’નો સમાવેશ થાય છે. આજે તેમણે દેશના સૌથી મોટા સંગીતકાર તરીકે પોતાની ઓળખ બનાવી છે. તેમનું નામ આખી દુનિયામાં જાણીતું છે.

Scroll to Top