વિછીયા સંમેલન મુદ્દે ચંદ્રવદન પીઠાવાલાનો ધડાકો
આ સમેલન સમાજને ભાગલા પાડવાનું દેખાઈ રહ્યું છે. સમાજની વાતો અંદરો-અંદર પટાવવી જોઈએ, જેના બદલે ગામની વાતો પાદરે જઈને થઈ રહી છે. એવું દેખાઈ રહ્યું છે. પણ જે આ વીછીયા મર્ડર કેસ થયું છે એના આરોપીઓને જો સજા અપાવવવી હોય તો સમાજના નેતાઓએ, સમાજના આગેવાનોએ, સમાજના રાજકીય નેતાઓ સાથે મીટીંગો કરીને પણ આ આરોપીઓને સજા આપાવી સકે છે, પણ આ સમેલન થકી એવું દેખાઈ રહ્યું છે, કે અમુક સમાજના નેતાઓ પોતાનો રાજકીય રોટલો સેકી રહ્યા છે. વીછીયા જસદણ ના ધારાસભ્યો અને ગુજરાતનાં કેબીનેટ મંત્રી, કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજીભાઈ બાવાળીયાને રાજકીય ક્ષેત્રમાં બદનામ કરી રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે. કેમકે આ સંમેલન ગુજરાતનાં બીજા વિસ્તારમાં પણ થઈ શકતે, શા માટે કુંવરજીભાઈ ના વીછીયા વિસ્તારમાં કરી રહ્યા છે. કુંવરજીભાઈ એ એમના ૫૦ વર્ષના રાજકીય કાર્યકાળમાં અનેકો સેવાકીય કાર્યો, શિક્ષણ ક્ષેત્રમાં, એમના ખાતાઓના ક્ષેત્રમાં કર્યા છે. જે કામો અમોએ અખિલ ભારતીય કોળી સમાજના પ્રવાસ કરીએ છેએ ત્યારે જોવા મળે છે. અને કુંવરજીભાઈ ખાલી કોળી સમાજ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની જનતાના લોકપ્રિય નેતા તરીકે ઓળખાય છે. એટલે જ્યારે કોઈ સમાજના આટલા મોટા નેતા રાજકીય રીતે ઉપર વધી રહ્યા હોય ત્યારે આવા સંમેલન કરી એમને બદનામ ના કરવા જોઈ એ, જેથી કરીને એનું નુકશાન સમાજે ભોગવાવવું પડે એટલે આ સમેલાં ને હું ચંદ્રવદન પીઠાવાલા સ્વીકાર કરતો નથી