દિવાળીમાં તહેવાર નજીક આવી રહ્યો છે. લોકો ખુબ ધામ ધુમ પૃર્વક ઉજવણી કરશે. જ્યારે રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ખાવાના ફાફા પડી રહ્યા છે.
તહેવારમાં લોકો જાત-ભાતની ખરીદી કરશે. નવા નવા કપડા ખરીદશે પરંતુ ખેડૂતના દીકરા માત્ર આ દ્રશ્યો જોઈને જ મન ભરી લેશે. કારણકે, એક બાજુ મોંઘવારીએ માઝા મૂકી છે. જ્યારે બીજી બાજુ કમોસમી વરસાદ પડવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે.
વેપારીઓને પણ નુકશાન થઈ રહ્યું છે
રાજ્યમાં છેલ્લા કેટલાઈ દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે.તેને લઈને સૌરાષ્ટ્રમાં ખેડુતોની હાલત ખુંબ દયનીય બની છે. જેની અસર દિવાળી પર જોવા મળી રહી છે. વરસાદના કારણે મોટાભાગના ખેડુતોને નુકશાન થયું છે. બજારમાં ખરીદી કરવા લોકો આવતા નથી. કારણકે, ખેડૂતોની સ્થિતી ખુબ જ ખરાબ થઈ છે. તેમણે ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે. આ અસર સૌરાષ્ટ્રના અનેક જીલ્લામાં જોવા મળી રહી છે. ખેડૂતની ખરીદશક્તિ ઘટતા વેપારીઓને પણ નુકશાન થઈ રહ્યું છે. આ ઉપરાંત દિવાળીમાં વેપારીના માલ ખપત ન થતા લોકોને મુશ્કેલી પડી રહી છે.
સરકારે સર્વે પણ હાથ ધર્યો નથી
ખેડુતો વર્ષ દરમિયાન દિવાળીના તહેવારની રાહ જોઈને બેઠા હોય છે. ત્યારે અમારા બાળકોને નવા કપડા લઈ આપશું. પરંતુ પાક નુકશાન થતા ખરિદી પર અસર પડી છે.બીજી બાજુ સરકર દ્વારા ખેડૂતોને કમોસમી વરસાદના નુક્શાનને બદલે આર્થિક સહાયની જાહેરાત કરી છે.તે પણ પાકની નુકશાનનીના 10%થી વધુ નથી. અને હજુ તો તે આર્થિક સહાય માટેનું સર્વે પણ હાથ નથી ધરવામાં આવ્યું.
ખેડુતોને પૃર્વની ઉજવણી કરવામાં મુશ્કેલી
આટલા સમય પછી જો આર્થિક સહાય આપવામાં આવે તો ખેડુતોને દિવાળીનો તહેવારની ઉજવણી કરવામાં મુશ્કેલી આવી રહી છે. તેથી સરકાર સામે માંગ કરી રહ્યા છે,કે બની તેટલી જલ્દી સહાયની ચૂકવણી કરવામાં આવે. સૌરાષ્ટ્રમાં સર્જાયેલી અતિવૃષ્ટિમાં જાહેર કરેલી આર્થિક સહાય પણ ખેડૂતો સુધી પહોંચી નથી. આ સ્થીતિ વચ્ચે ખેડૂતોને જવું તો જવું ક્યા.