ભારતને માત્ર હથિયારો નથી વેચતા, અમારા સંબંધો વિશ્વાસ પર આધારિત – પુતિન

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે, ભારત વૈશ્વિક મહાસત્તાઓની યાદીમાં સામેલ થવો જોઈએ. કારણ કે તેની અર્થવ્યવસ્થા હાલમાં અન્ય કોઈપણ દેશ કરતા વધુ ઝડપથી વધી રહી છે. દુનિયાએ જોવું જોઈએ કે કેટલા પ્રકારના રશિયન લશ્કરી શસ્ત્રો ભારતીય સશસ્ત્ર દળોની સેવામાં છે.અમે ફક્ત અમારા હથિયારો ભારતને વેચતા નથી.

ભારત વૈશ્વિક મહાસત્તાઓની યાદીમાં સામેલ થવો જોઈએ

પુતિને એમ પણ કહ્યું કે, રશિયા ભારત સાથે તમામ દિશામાં સંબંધો વિકસાવી રહ્યું છે અને બંને દેશો દ્વિપક્ષીય સંબંધોમાં એકબીજા પર ઊંડો વિશ્વાસ ધરાવે છે. તેમણે કહ્યું, ભારતને તેની 1.5 અબજની વસ્તી, વિશ્વની તમામ અર્થવ્યવસ્થાઓમાં સૌથી ઝડપી વૃદ્ધિ, પ્રાચીન સંસ્કૃતિ અને ભવિષ્યમાં વિકાસની ખૂબ સારી સંભાવનાઓને કારણે નિઃશંકપણે મહાસત્તાઓની યાદીમાં સામેલ થવું જોઈએ.

ભારત સાથે તમામ દિશામાં સંબંધો વિકસાવી રહ્યા છીએ – પુતિન

ભારતને એક મહાન દેશ ગણાવતા પુતિને કહ્યું કે, અમે ભારત સાથે તમામ દિશામાં સંબંધો વિકસાવી રહ્યા છીએ. ભારત એક મહાન દેશ છે. હવે 1.5 અબજની વસ્તી સાથે વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ. ભારત આર્થિક પ્રગતિમાં વિશ્વમાં અગ્રેસર છે. પુતિનને ટાંકીને જણાવ્યું હતું કે, અમારા સંબંધો ક્યાં અને કઈ ગતિએ વિકસિત થશે તે અંગેનું અમારું વિઝન આજની વાસ્તવિકતાઓ પર આધારિત છે. અમારો સહયોગ દર વર્ષે અનેકગણો વધી રહ્યો છે.

અમે ફક્ત ભારતને અમારા શસ્ત્રો વેચતા નથી – પુતિન

રશિયાના રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત અને રશિયા વચ્ચે સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રે સંબધો વિકસિત થઈ રહ્યા છે. તેમણે કહ્યું, કે આધુનિક શસ્ત્રો રશીયાએ ભારતને આપ્યા છે. આ સંબંધમાં ઘણો વિશ્વાસ છે. અમે ફક્ત ભારતને અમારા શસ્ત્રો વેચતા નથી. અમે સંયુક્ત રીતે તેની ડિઝાઇન પણ કરીએ છીએ.

Scroll to Top