બાંગ્લાદેશની નવી વચગાળાની સરકાર દેશમાં સતત ઘણા ફેરફારો કરી રહી છે. બાંગ્લાદેશના મુખ્ય સલાહકારના વિશેષ સહાયક મહફૂઝ આલમે ગુરુવારે પત્રકારોને અવામી લીગની વિદ્યાર્થી પાંખ વિશે કોઈ સમાચાર પ્રકાશિત ન કરવા જણાવ્યું હતું. મહફૂઝે પત્રકારોને ધમકી આપતા કહ્યું કે આ હવે પ્રતિબંધિત સંગઠન છે અને તમે આતંકવાદી સંગઠનના પ્રચારમાં કોઈ ભૂમિકા ભજવશો નહીં. બાંગ્લાદેશની નવી વચગાળાની સરકાર દેશમાં સતત ફેરફાર કરી રહી છે. બાંગ્લાદેશના મુખ્ય સલાહકારના સહાયક મહફૂઝ આલમે ગુરુવારે પત્રકારોને અવામી લીગના વિદ્યાર્થી પાંખ વિશે કોઈ સમાચાર પ્રકાશિત ન કરવા જણાવ્યું હતું. મહફૂઝે પત્રકારોને ધમકી આપતા કહ્યું કે, આ હવે પ્રતિબંધિત સંગઠન છે. જે આતંકવાદી સંગઠનના પ્રચારમાં ભૂમિકા રહેલી છે.
ચૂંટણી પ્રક્રિયા ચાલુ થયા પછી આ બાબત સ્પષ્ટ થશે
આ પહેલા પણ મહફૂઝ આલમે કહ્યું હતું કે, છેલ્લી ત્રણ ચૂંટણીમાં પાર્ટીના લોકો ગેરકાયદેસર રીતે સાંસદ બન્યા હતા.તેમણે લોકોને છેતર્યા છે,વચગાળાની સરકાર તેમની રાજકીય ભાગીદારીમાં ચોક્કસપણે વિરોધ કરશે.મહફુઝે કહ્યું કે, ટૂંક સમયમાં પ્રતિબંધો કેવી રીતે અસરકારક રહેશે તેના પર કામ કરવામાં આવશે. આ એક એક કાનૂની પાસું છે અને એ વહીવટી પાસું છે. ચૂંટણી પ્રક્રિયા
ચાલુ થયા પછી આ બાબત સ્પષ્ટ થશે.
સરકાર એકતરફી કોઈ નિર્ણય લેશે નહીં
અંતરીમ સરકારના મીડિયા વિભાગના વડા આલમને પૂછવામાં આવ્યું કે, શું સરકાર અવામી લીગ પર ચૂંટણીમાં ભાગ ન લેવા માટે પ્રતિબંધ મૂકવા જઈ રહી છે. આ અંગે તેમણે કહ્યું કે, વિવિધ રાજકીય પક્ષો સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે, સરકાર એકતરફી કોઈ નિર્ણય લેશે નહીં. વરિષ્ઠ સલાહકાર પ્રોફેસર મોહમ્મદ યુનુસ સાથેની વાતચીતમાં, કેટલાક પક્ષોએ લીગ અને તેના સહયોગી સંગઠનો પર પ્રતિબંધ મૂકવાની અથવા ઓછામાં ઓછી આગામી રાષ્ટ્રીય ચૂંટણીઓમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી, પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.