ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરીઝ બાદ ટીમ ઈન્ડિયાએ આગામી સીરીઝ દક્ષિણ આફ્રિકા સામે રમવાની છે. દક્ષિણ આફ્રિકા સામે 4 મેચની T20 શ્રેણી 8 નવેમ્બરથી શરૂ થવાની છે. આ શ્રેણી પહેલા જ ભારતીય ટીમ મેનેજમેન્ટે મોટો નિર્ણય લીધો છે. મુખ્ય કોચની જવાબદારી વીવીએસ લક્ષ્મણને આપી છે. જો કે, ગૌતમ ગંભીર ટીમનો મુખ્ય કોચ છે.પરંતુ ઓસ્ટ્રેલિયા પ્રવાસને કારણે તે દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 શ્રેણીમાં ટીમની સાથે રહેશે નહીં.
દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 શ્રેણીમાં ટીમની સાથે રહેશે
ભારતીય ટેસ્ટ ટીમને બોર્ડર-ગાવસ્કર સિરીઝ માટે ઓસ્ટ્રેલિયા જવાનું છે. ટીમ 10 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે. દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણી પણ છે, જેના કારણે NCAના વડા વીવીએસ લક્ષ્મણ ટીમ સાથે કોચ તરીકે જઈ રહ્યા છે. દક્ષિણ આફ્રિકા સામે 8, 10, 13 અને 15 નવેમ્બરે 4 ટી-20 મેચ રમાશે. આ મેચો ડરબન, ગકબેરહા, સેન્ચુરિયન અને જોહાનિસબર્ગમાં યોજાશે.
ભારતીય T20 ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, તિલક વર્મા, જીતેશ શર્મા (વિકેટકીપર), અક્ષર પટેલ, રમનદીપ સિંહ, અર્શદીપ સિંહ, વિજયકુમાર વિશાક, આવેશ ખાન, વરૂણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ અને યશ દયાલ.
ગૌતમ ગંભીર માટે આવનારા દિવસો ખૂબ જ મુશ્કેલ ભર્યા
ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર માટે આવનારા દિવસો ખૂબ જ મુશ્કેલ ભર્યા રહેવાના છે. ટીમ ઈન્ડિયા ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ હારી ગઈ છે. ન્યૂઝીલેન્ડે 3 ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ બે મેચ જીતી લીધી છે. જો ઓસ્ટ્રેલિયા સામે ભારતની હાર થઈ તો, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચ્ચી શકશે નહીં