ગુજરાતી ફિલ્મના જાણીતા આ અભિનેતા નવેમ્બરમાં લગ્ન ગ્રંથિથી જોડાશે

 

ગુજરાતી ફિલ્મના જાણીતા કલાકાર મલ્હાર ઠાકર લગ્ન ગ્રંથીથી જોડાઈ રહ્યા છે. અનેક વાર ગુજરાતી કલાકારને લગ્ન અંગે સવાલ પૂછવામાં આવ્યા છે. પણ ત્યારે અભિનેતાએ આ જવાબ આપવાનો ટાળ્યો છે. ત્યારે આ ચર્ચાઓનો અંત આવ્યો છે. અભિનેતાએ સોશિયલ મિડિયા પર જાહેરાત કરતા કહ્યું કે, હું લગ્ન કરી રહ્યો છું. ગુજરાતી ફિલ્મ અભિનેત્રી પૂજા જોષીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને જણાવી દીધું કે તે અને મલ્હાર ઠાકર લગ્ન ગ્રંથિથી જોડાશે.

નવેમ્બર 2024ના અંતમાં લગ્ન કરશે
ખાસ કરીને ગુજરાતી ફેન્સ મલ્હાર ઠાકર ક્યારે લગ્ન કરશે તે અંગે ચર્ચા કરી રહ્યા હતા. ત્યારે અભિનેતાએ જાહેરાત કરી છે, કે તે નવેમ્બર 2024ના અંતમાં લગ્ન કરશે. અભિનેત્રી પૂજા જોશીએ ઇન્સ્ટાગ્રામ પર મલ્હાર સાથેનો ફોટો પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું, “તમામ અફવાઓ પર પૂર્ણવિરામ લગાવીએ છીએ. રીલથી રિયલ સુધી.. તમારા પ્રેમ અને આશીર્વાદથી અમે અમારા નવા અધ્યાયની સફર શરૂ કરી રહ્યા છીએ.

અમદાવાદમાં ગુજરાતી પરંપરા અને સંસ્કૃતિ સાથે લગ્ન કરશે

એક ઇન્ટરવ્યુમાં અભિનેત્રીએ જણાવ્યું હતું કે, અમે એકબીજાને ગમવા લાગ્યા એનો ખ્યાલ પણ ન આવ્યો અને આખરે અમે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. પરિવારના સભ્યોએ પણ અમારા આ નિર્ણય પર મંજૂરીની મહોર લગાવી દીધી. એટલે હવે અમે લગ્નગ્રંથિથી જોડાઈશું. જણાવી દઈએ કે 34 વર્ષીય અભિનેતા મલ્હાર ઠાકર 32 વર્ષીય અભિનેત્રી પૂજા જોષી સાથે નવેમ્બર મહિનાના અંતમાં અમદાવાદમાં ગુજરાતી પરંપરા અને સંસ્કૃતિ સાથે લગ્ન કરશે.

Scroll to Top