ગીર સોમનાથના વડનગરમાં Ambuja Cementના પાપે લોકો પરેશાન,ક્યાં નેતાના ઓથા હેઠળ પ્રદુષણ કરી રહી છે?

કોડીનાર ખાતે આવેલી અંબુજા સિમેન્ટ કંપની આજુબાજુના વિસ્તારોમાં ગંભીર પરિસ્થિતિ સર્જી રહી છે. આ કંપનીની ઔદ્યોગિક પ્રવૃત્તિઓના કારણે વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ એટલું વધ્યું છે કે તેની અસર સીઘી ગામવાસીઓ પર પડી રહી છે. સ્થાનિક લોકોની ફરિયાદો અને રજૂઆત છતાં, તંત્ર દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવાના કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી.

અંબુજા સિમેન્ટ કંપનીના ઉત્પાદનમાં નિકળતી સિમેન્ટની ધૂળ અને વાયુ પ્રદૂષણ આજુબાજુના ગામોમાં પ્રસરેલી છે. આ પ્રદૂષણના પરિણામે, સ્થાનિક લોકોનાં ઘરોમાં સિમેન્ટની ધૂળનો સંગ્રહ જોવા મળી રહ્યો છે. આ સિમેન્ટની ધૂળ અને વાયુ પ્રદૂષણના કારણે ગામની જમીન અને પાણી બરબાદ થઈ રહ્યા છે, જેનાથી ખેતી પર પણ અસર પડી રહી છે. ખેડૂતોની જમીનમાં સિમેન્ટની મલિનતા અને પાણીની ગુણવત્તામાં ઘટાડો થયો છે, જે સીધી પાકની ગુણવત્તા પાર અસર કરે છે.

આ પ્રદુષણના લીધે ગ્રામજનોના આરોગ્ય પર પણ ગંભીર અસરો જોવા મળી રહી છે. ઘણા લોકો શ્વાસની સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે અને પ્રદૂષણની
અસરોને લીધે તેમના જીવનની ગુણવત્તા ઘટી રહી છે. સ્થાનિક લોકો આ સ્થિતિનો વિરોધ કરતા વિવિધ મંચો પર રજૂઆત કરી છે, જેમાં કલેક્ટર, ધારાસભ્યો, સંસદ અને મુખ્યમંત્રીને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. છતાં, હજુ સુધી તંત્ર તરફથી કોઈપણ તાત્કાલિક પગલાં ભરવામાં આવ્યા નથી.

સિમેન્ટ આજના સમયમાં મહત્વ ધરાવે છે, પરંતુ આ સરકાર અને કંપનીની જવાબદારી છે કે તે પોતાના ઉદ્યોગ ચલાવવા માટે સ્થાનિક લોકોના આરોગ્ય અને ખેતીની જમીન સાથે ખિલવાડ ન કરે. ગ્રામજનો હાલમાં મુશ્કેલીઓમાં છે અને તેમની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે તંત્ર દ્વારા કડક પગલાં લેવાની જરૂર છે.

લોકોને આશા છે કે તંત્ર અને કંપની વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તાત્કાલિક અને અસરકારક પગલાં લેશે, જેથી સ્થાનિક લોકો તેમનું આરોગ્ય અને જીવનશૈલી સુધારી શકે.

Scroll to Top