કેન્દ્ર સરકાર દ્વારા રોડ સેફ્ટી ઝુંબેશ શરૂ, હેલ્મેટ બનાવતી 162 કંપનીઓના લાઇસન્સ રદ

કેન્દ્ર સરકાર દ્વારા રોડ સેફ્ટીને લઈને અલગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ અભિયાન હેઠળ ટુ-વ્હીલર ચલાવતા લોકોના હેલ્મેટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સરકારે હેલ્મેટ બનાવતી 162 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા છે. આ અભિયાનને સરકાર દ્વારા લેવામાં આવેલ સૌથી મોટી કાર્યવાહી કહેવામાં આવી રહી છે. આગામી દિવસો માટે સરકાર દ્વારા વધુ વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે.

હેલ્મેટ અંગેની ચિંતાઓ વ્યકત કરી

માર્ગ સલામતી અને બજારમાં નબળા હેલ્મેટ અંગેની ચિંતાઓ વ્યકત કરી છે. કેન્દ્રએ જિલ્લા અધિકારીઓને નોન ISI લોગો હેલ્મેટના ઉત્પાદકો અને વેચાણકર્તાઓ સામે પગલાં લેવાનો આદેશ આપ્યો છે. શનિવારે માહિતી આપતા ગ્રાહક બાબતોના મંત્રાલયે કહ્યું કે, સરકારે અત્યાર સુધીમાં 162 હેલ્મેટ ઉત્પાદકોના લાઇસન્સ રદ કર્યા છે.બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) નિયમોના ઉલ્લંઘનને નિશાન બનાવીને 27 દરોડા પાડ્યા છે.

બજારમાંથી અસુરક્ષિત હેલ્મેટ દૂર કરવા ખુબ જરૂર – સચિવ નિધિ ખરે

ઉપભોક્તા બાબતોના સચિવ નિધિ ખરેએ જણાવ્યું હતું કે, હેલ્મેટ સારી ગુણવત્તાના હોય તો જીવન બચાવે છે. બજારમાંથી અસુરક્ષિત હેલ્મેટ દૂર કરવા ખુબ જરૂર છે.
માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે જૂન, 2021માં ગુણવત્તા નિયંત્રણ આદેશ જાહેર કર્યા પછી આ કાર્યવાહી કરવામાં આવી છે. IS 4151:2015 હેઠળ તમામ હેલ્મેટ માટે BIS પ્રમાણપત્રને ફરજિયાત કરેલું છે.

શું છે નવું પ્લાનિંગ
સત્તાવાળાઓએ ખાસ કરીને ISI લોગા વગરનું હેલ્મેટનું વેચાણ નહી કરી શકે. ગ્રાહક BIS કેર એપ અથવા વેબસાઈટ દ્વારા ઉત્પાદકના ઓળખપત્રોને ચકાસી શકે છે. જિલ્લા અધિકારીઓને ઉલ્લંઘનની ઓળખ કરવા માટે પોલીસ અને BIS અધિકારીઓ સાથે મળીને કામ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. ઉપભોક્તા બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે, ઝુંબેશને હાલના માર્ગ સલામતી પહેલ સાથે સંકલિત કરવામાં આવશે.

Scroll to Top