ઓસ્ટ્રેલિયા સામે રોહિત શર્મા નહીં, પરંતુ આ ખેલાડી હશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન

ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી રમવાની છે, જેની પ્રથમ મેચ 22 નવેમ્બરથી શરૂ થશે. જો કે, આ સીરીઝ પહેલા મોટો સવાલ એ છે કે, ટીમ ઈન્ડિયાની કપ્તાની કોણ સંભાળશે? રોહિત શર્મા માટે પ્રથમ ટેસ્ટ મેચ રમવી મુશ્કેલ છે. રોહિત અંગત કારણોસર પ્રથમ ટેસ્ટમાંથી બહાર રહી શકે છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે જસપ્રિત બુમરાહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે અને માનવામાં આવે છે કે, તે ટીમની કમાન સંભાળશે. પરંતુ ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફનું માનવું છે કે, ટીમની કપ્તાની ઋષભ પંતને સોંપવી જોઈએ.

પંત સંપૂર્ણ બેટ્સમેન

મોહમ્મદ કૈફે કહ્યું કે, વર્તમાન ટીમમાંથી માત્ર ઋષભ પંત જ ટેસ્ટ કેપ્ટનશિપ માટે મોટો દાવેદાર છે. કૈફના મતે, પંત રમે છે, ત્યારે તે હંમેશા ટીમ ઈન્ડિયાને ફ્રન્ટ ફૂટ પર રાખે છે. પંત ગમે તે નંબર પર રમવા આવે, તે હંમેશા મેચ વિનિંગ ઇનિંગ્સ રમવાનો પ્રયાસ કરે છે. પંત દરેક પ્રકારની પરિસ્થિતિમાં રન બનાવવાની ક્ષમતા ધરાવે છે. પંતે ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકામાં રન બનાવ્યા છે. તેણે ભારતની ટર્નિંગ પીચ પર પણ રન બનાવ્યા છે. કૈફે પંતને સંપૂર્ણ બેટ્સમેન ગણાવ્યો હતો.

પંતને કેપ્ટન બનાવો – કૈફ

કૈફે ઋષભ પંતને ટેસ્ટ કેપ્ટન બનાવવાની વાત કરી હતી પરંતુ તેણે તેનું સાચું કારણ જણાવ્યું નથી. પંત પહેલા બુમરાહ કપ્તાની બનવાની રેસમાં આગળ છે. આ જ કારણ છે કે, બુમરાહને પણ વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. બુમરાહે એક ટેસ્ટમાં ટીમની કપ્તાની કરેલી છે. જો રોહિત પ્રથમ ટેસ્ટમાં નહીં રમે તો બુમરાહ કેપ્ટન્સી સંભાળતો જોવા મળી શકે છે. જોકે, કૈફ કંઈક બીજું જ માને છે. કૈફે કહ્યું કે, જ્યારે પંત તેની છેલ્લી ટેસ્ટ મેચ રમશે ત્યારે તે લિજેન્ડ તરીકે નિવૃત્તિ લેશે. તેની વિકેટકીપિંગમાં જબરદસ્ત સુધારો જોવા મળ્યો છે. કૈફે કહ્યું કે, જ્યાં સુધી પંત ક્રિઝ પર હતો ત્યાં સુધી ન્યૂઝીલેન્ડને રાહતનો શ્વાસ નહોતો મળી રહ્યો. કૈફના મતે, જો તમે ભવિષ્યના કેપ્ટનની શોધમાં હોવ તો પંતથી સારો વિકલ્પ બીજો કોઈ નથી.

 

Scroll to Top