આ કેન્દ્રીય મંત્રી વિરુદ્ધ નોંધાય FIR,જાણો શું છે સમગ્ર મામલો

  • AIMIM નેતા ઈમ્તિયાઝ આલમ તરફથી દાખલ કરવામાં આવી ફરીયાદ
  • ગિરિરાજ સિંહ વિરુદ્ધ દાખલ કરવામાં આવી ફરીયાદ
  • ભાષણ હિંદુ અને મુસ્લિમ સમુદાયો વચ્ચે તણાવ વધારી શકે છે – AIMIM

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)એ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપવાના આરોપમાં બિહારની કિશનગંજ કોર્ટમાં FIR દાખલ કરી છે. AIMIMના વકીલનું કહેવું છે કે, ગિરિરાજ સિંહે પોતાના કિશનગંજ પ્રવાસ દરમિયાન ઘણી જાહેર સભાઓમાં એવા નિવેદનો આપ્યા હતા, જેના કારણે સમુદાયો વચ્ચે વૈમનસ્ય ફેલાઈ શકે છે અને સ્થાનિક લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે.

હિંદુ અને મુસ્લિમ સમુદાયો વચ્ચે તણાવ વધારી શકે છે – AIMIM
ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, ગિરિરાજ સિંહે ઈરાદા પૂર્વક આવા ભાષણો આપ્યા હતા જે હિંદુ અને મુસ્લિમ સમુદાયો વચ્ચે તણાવ વધારી શકે છે અને સૌહાર્દને નુકસાન પહોંચાડી શકે છે. વકીલે કહ્યું કે, ગિરિરાજ સિંહના નિવેદનથી અહીંની શાંતિ અને ભાઈચારાને અસર થઈ છે અને તેમણે એક સમુદાયને ભડકાવવાનો પ્રયાસ કર્યો છે.

ગિરિરાજ સિંહ વિરુદ્ધ દાખલ કરવામાં આવી ફરીયાદ

AIMIMના કાર્યકર્તા અને વકીલ શમ્સ આઝાદે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ વિરુદ્ધ દાખલ ફરિયાદમાં કહ્યું કે, ગિરિરાજ સિંહનું નિવેદન, જેમાં તેમણે મુસ્લિમો પર મંદિર તોડવાનો આરોપ લગાવ્યો હતો, તે એક ભડકાઉ અને રમખાણો ફેલાવનારું નિવેદન છે. શમ્સ આઝાદે દાવો કર્યો કે, આવા નિવેદનથી સમાજમાં ખોટો સંદેશ જશે અને સાંપ્રદાયિક તણાવ વધી શકે છે.

ઈમ્તિયાઝ આલમ તરફથી દાખલ કરવામાં આવી

ગિરિરાજ સિંહ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 196, 197, 199 અને 302 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.આ સાથે જ વિડિયો પુરાવા પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. આ ફરિયાદ AIMIM નેતા ઈમ્તિયાઝ આલમ તરફથી દાખલ કરવામાં આવી છે. જેમાં ગિરિરાજ સિંહના નિવેદનોને દેશમાં શાંતિ અને સૌહાર્દને નુકસાનક પહોંચાડનારા ગણાવ્યા છે.

 

Scroll to Top