અમદાવાદમાં 16મી નવેમ્બર મોડી સાંજે નહેરુનગરના માણેકબાગમાં મહાલક્ષ્મી ફ્રૂટ-શાકભાજીની દુકાનના વેપારી બદાજી મોદીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. એક્ટિવા પર આવેલા અજાણ્યા શખસોએ વેપારી પર ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
25 લાખની સોપારી આપવામાં હતી
અમદાવાદમાં નહેરુનગરના માણેકબાગ રોડ પર ટાગોર પોલીસ નજીક આવેલી બોરાણા વેજીટેબલ માર્કેટમાં મહાલક્ષ્મી ફ્રૂટ-શાકભાજીની દુકાનના વેપારી બદાજી મોદી પર એક્ટિવા પર આવેલા અજાણ્યા શખસો ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં ઈજાગ્રસ્ત વેપારીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા. પરંતુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ મામલે પોલીસે મધ્ય પ્રદેશથી ફાયરિંગ કરનારા ત્રણ આરોપી અને વેપારીના ભત્રીજા અનુ રાજપૂતની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં કૌટુંબિક ભત્રીજાએ જ સોપારી આપી વેપારીને હત્યા કરાવી હોવાનો સામે આવ્યું છે. વેપારીની હત્યા માટે રૂ. 25 લાખની સોપારી આપવામાં હતી.
કેસ ક્રાઈમ બ્રાન્ચમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો
મળતી માહિતી પ્રમાણે બે કરોડની જમીનના વિવાદમાં બદાજી મોદીની હત્યાની સોપારી અનુ રાજપૂત એટલે કે તેમના ભત્રીજાએ જ આપી હતી. અનુ રાજપૂતે ત્રણ લોકોને સોપારી આપી હતી. સધન તપાસ બાદ સીસીટીવીના આધારે રતલામ પાસેથી આરોપી ઝડપાયા છે. આ સમગ્ર કેસ ક્રાઈમ બ્રાન્ચમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.